PM Kisan eKYC 2023: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતભાઈઓ આર્થિક સહાય લેખે વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. ખેડૂતભાઈઓને પીએમ કિસાન યોજના હેઠળ કુલ 13 હપ્તા સુધીની રકમ ચૂકવાઈ ગઈ છે. 14માં હપ્તાના પૈસા આપવાનું આયોજન પણ ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. PM Kisan 14th Installment માટે આયોજન થઇ રહ્યું હશે. ખેડૂત મિત્રોઓએ PM Kisan eKYC Process Online અથવા સેન્ટર પર જઈને કરી શકશે.
PM Kisan eKYC 2023
પોસ્ટ ટાઈટલ | PM Kisan eKYC 2023 |
પોસ્ટ નામ | પીએમ કિસાન યોજના (PM Kisan eKYC Yojana 2023) |
યોજના લાગુ તારીખ | 1-12-2018 |
લાભાર્થી | દેશના ખેડૂતભાઈઓ |
યોજનાનો ઉદ્દેશ | દેશના ખેડૂતભાઈને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા |
સહાય | વાર્ષિક 6000 રૂપિયા |
સત્તાવાર વેબસાઈટ | https://pmkisan.gov.in |
PM Kisan eKYC | ઓનલાઈન / OTP Based |
PM Kisan OTP Based eKYC
જે પણ ખેડૂતભાઈઓ PM KISAN 2023 કે તે પહેલા રજીસ્ટ્રેશન કરેલું છે તેઓ તમામ માટે PM Kisan eKYC ફરજીયાત છે. જો તમે PM Kisan Yojana eKYC કરવા માંગતા હોવ તો તમે OPT Based eKYC માટે PM KISAN PORTAL મારફતે અથવા બાયોમેટ્રિક Based માટે નજીકના CSC સેન્ટર પર જવાનું રહેશે.
આ પણ જુઓ : PM Kisan Beneficiary List 2023
PM કિસાન યોજના 2023
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ કિસાનોને 2000/- ના ત્રણ સરખા હપ્તા મળીને કુલ 6000/-ની સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 13 હપ્તાની ચુકવણી થઇ ગઈ છે અને 14મો હપ્તો થોડાક સમયમાં ચુકવવામાં આવશે.
ઈ-કેવાયસી શું છે?
ઈ-કેવાયસી એટલે ખેડૂતના આધારકાર્ડ અને મોબાઈલ નંબર સાથે લીંક કરવાની એક પ્રક્રિયા છે. જો ખેડૂતના બેંક એકાઉન્ટના સાથે આધારકાર્ડ લીંક ન હોય તો તેમણે બેંકમાં રૂબરૂ જઈને પોતાના બેંક એકાઉન્ટ સાથે આધારકાર્ડ અને મોબાઈલ નંબર લીંક કરવો ફરજીયાત છે. ઈ-કેવાયસી કરાવવા માટે આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લીંક હોવું જરૂરી છે. જો તેમ ન હોય તો ખેડૂતે પહેલા તાત્કાલિક આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરાવવો પડશે. એ પછી બેંક ખાતા સાથે લીંક કરાવી શકાશે.
ખેડૂતોએ આધારકાર્ડ અને મોબાઈલ નંબર લીંક કરવા ક્યાં જવું?
ખેડૂતોએ આધારકાર્ડ અને મોબાઈલ નંબરને લીંક કરાવવા પોતાના ઘર નજીકના કોમન સર્વિસ સેન્ટર, સેવા સદન ખાતેની મામલતદાર કચેરી, ઈ-ગ્રામ સેન્ટર અથવા સરકાર તરફથી નિમાયેલ બેંકમાં લીંક પ્રક્રિયા કરાવી શકશે. હાલ જીલ્લામાં ઇન્ડીયામાં પોસ્ટ પેમેન્ટ બેન્કના કર્મચારી પણ કામગીરી કરે છે.
PM KISAN Helpline
- કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
- પ્રધાનમંત્રી કિસાન હેલ્પલાઈન નંબર: 155261
- પીએમ કિસાન લેન્ડલાઇન નંબર: 011-23381092, 23382401
- PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606
- પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109
- પીએમ કિસાન (ઈ-મેલ આઈડી): pmkisan-ict@gov.in
PM કિસાન યોજનાનું eKYC કેવી રીતે કરવું?
ખેડૂત લાભાર્થીનું આધારકાર્ડ તેમના મોબાઈલ નંબર સાથે રજીસ્ટર થયેલ હોય તો સરળતાથી e-KYC કરી શકે છે. તમારી જાતે મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા કેવી રીતે PM Kisan eKYC કરી શકાય તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
- Step 1 – ઇ-કેવાયસી માટે સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ ની મુલાકાત લો.
- Step 2 – PM KISAN PORTAL ખુલશે જેમાં Farmer Corner પર જાઓ.
- Step 3 – eKYC ના વિકલ્પ પર ક્લિક કરો.
- Step 4 – eKYC પેજ ખુલશે.
- Step 5 – આધાર નંબર દાખલ કરો અને સબમિટ કરો
- Step 6 – હવે મોબાઈલ પર OTP આવશે તે દાખલ કરો.
- Step 7 – આ પછી, જો વિગતો સંપૂર્ણ રીતે માન્ય હશે તો e-KYCની પ્રક્રિયા પૂર્ણ થશે.
- Step 8 – ત્યારબાર Get Aadhar નામનું નવું ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
- Step 9 – ત્યારબાદ તમારા આધારકાર્ડ સાથે Link કરેલા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, જે OTP ને તમારે વેબસાઈટમાં નાખવાનો રહેશે.
- Step 10 – છેલ્લે તમારે Submit for Auth બટન પર ક્લિક કરીને વેરિફિકેશનની કામગીરી કરવાની રહેશે.
PM KISAN eKYC | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |
2 thoughts on “PM Kisan eKYC 2023: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના eKYC કરો ઓનલાઈન”